Home News સુપ્રિમ કોર્ટમાં ઉદ્ધવ V/s શિંદે; શિવસેનાની દલીલ- બળવાખોર 21મી જૂને જ અયોગ્ય...

સુપ્રિમ કોર્ટમાં ઉદ્ધવ V/s શિંદે; શિવસેનાની દલીલ- બળવાખોર 21મી જૂને જ અયોગ્ય જાહેર થયા છે, ત્યારે તેઓ બહુમતીનો નિર્ણય કઈ રીતે કરશે!

Face Of Nation 29-06-2022 : મહારાષ્ટ્રમાં 22 જૂનથી શરૂ થયેલો રાજકીય સંગ્રામ સતત આઠમા દિવસે પણ જોવા મળી રહ્યો છે. સુરતથી જે રાજકીય નાટકની શરૂઆત થઈ, તેમાં મહત્વના ડેવલપમેન્ટ ગુવાહાટીમાં થયા, પરંતુ તેનો ક્લાઈમેક્સ હજુ બાકી છે. આ વચ્ચે મહારાષ્ટ્રના રાજ્યપાલે આવતીકાલે એટલે કે 30મી જૂને સાંજે 5 વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ કરાવવાના આદેશ આપ્યા છે. શિવસેના તેના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી છે અને કોર્ટમાં તેના પર સુનાવણી ચાલી રહી છે. કોર્ટમાં શિવસેનાના વકીલે ફ્લોર ટેસ્ટ પર આપત્તિ વ્યક્ત કરતા દલીલ કરી કે 16 ધારાસભ્યોને 21મી જૂને જ અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. એવામાં તેમના વોટથી બહુમતીનો નિર્ણય ન કરી શકાય. શિવસેના તરફથી સીનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં દલીલ રજૂ કરી રહ્યાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).