Home Gujarat સ્કૂલોમાં કોરોનાનું વધ્યું સંક્રમણ; ઉદગમ સ્કૂલ બાદ વેજલપુરમાં ત્રીજા ધોરણનો વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત!

સ્કૂલોમાં કોરોનાનું વધ્યું સંક્રમણ; ઉદગમ સ્કૂલ બાદ વેજલપુરમાં ત્રીજા ધોરણનો વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત!

Face Of Nation 29-06-2022 : અમદાવાદમાં સ્કૂલોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. વેજલપુરમાં આવેલ અનંદા ગ્લોબલ સ્કૂલમાં ભણતા ધોરણ 3ના વિદ્યાર્થીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ થલતેજની ઉદગમ સ્કૂલના 9 જેટલા વિદ્યાર્થીઓને કોરોના થયો હતો. અમદાવાદની સ્કૂલમાં ભણતા અત્યારે 10 જેટલા બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે. સ્કૂલના સંચાલક મનન ચોકસીએ જણાવ્યું હતું કે, ત્રીજા ધોરણના બાળકને પોઝિટિવ આવતા અન્ય બાળકોના વાલીને સૂચના આપવામાં આવી છે કે તેમના બાળકને કોઈ લક્ષણ જણાય તો સ્કૂલે ના મોકલવા. જે વિદ્યાર્થીને પોઝિટિવ આવ્યો છે તેને 7 દિવસ બાદ જ વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).