Home Uncategorized કોરોનાના કેસ વધશે તો ફરીથી ગુજરાતમાં નિયંત્રણો લાદવામાં આવશે, CM રૂપાણી આકરા...

કોરોનાના કેસ વધશે તો ફરીથી ગુજરાતમાં નિયંત્રણો લાદવામાં આવશે, CM રૂપાણી આકરા પાણીએ….

Face Of Nation, 04-08-2021 :ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ કોરોનાના નિયંત્રણો મુદ્દે ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. તેમણે આજે વડોદરા ખાતે જણાવ્યું હતું કે, કોરોનાના કેસ વધશે તો ફરીથી નિયંત્રણ લાદવામાં આવશે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ ફરીથી નિયંત્રણો આવે તેવા સંકેત આપ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, જ્યારે કેસ વધશે ત્યારે પાછા નિયંત્રણો લાદવ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અત્યારે કેસો ઓછા છે એટલે નિયંત્રણો હળવા કર્યા છે. કેસ વધશે તો ફરીથી નિયંત્રણો લાગુ કરાશે.

આજે વડોદરા ખાતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 14000 સખી મંડળોને 140 કરોડ પહોંચાડયા. વિરોધીઓને કહ્યું બુરી નજર વાલે તેરા મુહ કાલા. સરકારની સફળતાના કારણે વિરોધીઓના પેટમાં તેલ રેડાયું છે. સત્તા માટે નહીં સેવા માટે આવ્યા છીએ. 2 વર્ષ માં 10 લાખ બહેનોને સહાય આપશે. નારી ગૌરવ દિવસની વડોદરામા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ હાજરી આપી.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)