Home Uncategorized સરકારની ઇદે-એ-મિલાદની ઉજવણીની છૂટ, દિવસે જ કાઢી શકાશે જુલુસ

સરકારની ઇદે-એ-મિલાદની ઉજવણીની છૂટ, દિવસે જ કાઢી શકાશે જુલુસ

Face Of Nation, 17-10-2021: ગુજરાતમાં તાજેતરમાં નવરાત્રીનો તહેવાર પુરો થયો છે. હવે બે દિવસમાં ઈદ-એ-મિલાદનો તહેવાર આવશે. રાજ્ય સરકારે તહેવારોને લઈને વધુ એક ગાઈડ લાઈન જાહેર કરી છે. 19 ઓક્ટોબરના દિવસે આવનારા ઈદ-એ-મિલાદના તવાર અંગે ગાઈડલાઈન રજૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારે રજૂ કરેલી માર્ગદર્શિકા પ્રમાણે 15 15 વ્યક્તિ અને એક વાહનની મર્યાદમાં ઈદ-એ-મિલાદની ઉજવણી કરવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત ઇદ-એ-મિલાદના જુલુસનું માત્ર દિવસે જ આયોજન કરી શકાશે.

ગાઈડ લાઈન પ્રમાણે તેમજ જુલુસ જે વિસ્તારનું હશે તે વિસ્તારમાં જ ફરી શકશે. જેને શક્ય એટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે. આ દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવું પડશે.

ઉલ્લેખનીય છે કે ઈદ-એ-મિલાદના જુલુસ કાઢવા માટે પરમિશન આપવા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને વાંકાનેરના ધારાસભ્ય મોહંમદ પીરજાદાએ મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી. ઉપરાંત રાજ્યના ડીજીપીને પણ મળી કાયદો વ્યવસ્થા જળવાય તે રીતે જુલુસ કાઢવા પરમિશન અંગે વાતચીત કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)