Home Gujarat “અધિકારીઓનું નવું બહાનું”: અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન આજે બીજા દિવસે પણ બંધ રહ્યું,...

“અધિકારીઓનું નવું બહાનું”: અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન આજે બીજા દિવસે પણ બંધ રહ્યું, સવારથી જ બેન્ક બહાર લાંબી કતારો લાગી!

Face Of Nation 13-04-2022 : અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન 12મી એપ્રિલ 2022થી શરૂ થઈ ગયું છે. ત્યારે જામનગરમાં પણ અમરનાથ યાત્રામાં જવા માટે મોટી સંખ્યામાં યાત્રીઓ રજિસ્ટ્રેશન કરાવવા માટે પંજાબ નેશનલ બેંકમાં સતત બીજા દિવસે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. જેમાં અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા જામનગરના જી.જી.હોસ્પિટલનું ડોક્ટરનું લિસ્ટ અપલોડ ન થયું હોવાથી અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન આજે બીજા દિવસે પણ નહોતું થવા પામ્યું. જેના કારણે અમરનાથના યાત્રીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
અમરનાથ શ્રાઇન બોર્ડની વેબસાઈટમાં પણ કમ્પ્લેન કરી
અમરનાથ યાત્રામાં જવા માટે યાત્રીઓ દ્વારા પંજાબ નેશનલ બેંકના કર્મચારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે કે, ગુજરાતના બીજા રાજ્યોમાં રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે તો અહિંયા કેમ થઇ રહ્યું નથી. ત્યારે પંજાબ નેશનલ બેન્કના અને અમરનાથ યાત્રા રજિસ્ટ્રેશન કરનાર બેંક મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ અમરનાથ શ્રાઇનબોર્ડની વેબસાઈટમાં જામનગરના જીજી હોસ્પિટલના ડોક્ટરોનું લિસ્ટ અપલોડ થયું નથી. તેના કારણે યાત્રીઓનું રજિસ્ટ્રેશન થઇ શકતું નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે અમરનાથ શ્રાઇન બોર્ડની વેબસાઈટમાં પણ કમ્પ્લેન કરી છે અને તે બેથી ત્રણ દિવસમાં શરૂ થઈ જશે તેવી વાતચીત કરવામાં આવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).