Home Politics ભાજપના આ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાશે ? FB પોસ્ટ કરીને...

ભાજપના આ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાશે ? FB પોસ્ટ કરીને ખુદ આપી જાણકારી

Face Of Nation, 30-08-2021:  રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા જ નેતાઓ પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન અમરેલી ભાજપમાં મોટો ભડકો થયો છે. ભાજપના દિગ્ગજ નેતા શરદ લાખાણીએ આમ આદમી પાર્ટીમાં જોડવાની કરેલી જાહેરાત બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ અંગે શરદ લાખાણીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું, આવતીકાલે તા. 31-8-2021, મંગળવાર બપોરે 2 કલાકે સર્કિટ હાઉસ અમરેલી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાન મહેશભાઈ સવાણી તથા અગ્રણીઓની હાજરીમાં હું આમ આદમી પાર્ટીમાં જોડાઈશ. તેમની આ પોસ્ટ બાદ પ્રદેશ ભાજપ નેતાઓ દોડતા થઈ ગયા છે.

અમરેલી જિલ્લા પંચાયત અને જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ શરદ લાખાણી છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયાનાં માઘ્યમથી તેમના જ પક્ષની સરકારની નિષ્ફળતા ઉજાગર કરી રહૃાા હતા ત્યારથી જિલ્લાનાં રાજકારણમાં ભારે ચર્ચા જાગી હતી.. તેમણે ભાજપને મજબુત કરવામાં ભારે મહેનત ઉઠાવી હતી. અંદાજિત 30 વર્ષથી તેઓ ભાજપનાં કાર્યકર અને આગેવાન તરીકે કામ કરી રહૃાા છે પરંતુ છેલ્લા થોડા દિવસોથી તેમનો ભાજપ તરફનો મોહભંગ થયો હોય તેવું લાગી રહ્યું હતું.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)