Home News ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું શું મોટું નિવેદન...

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું શું મોટું નિવેદન ?

Face Of Nation, 29-08-2021:  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, ગુજરાત સરકારે ત્રીજી લહેરને પહોંચી વળવાની તમામ તૈયારી કરી લીધી છે. બીજી લહેરમાં આપણે ઘણું બધું શીખ્યા છીએ, એટલે જ્યાં સુધારા જરૂરી હતા તે કરી દીધા છે. તેથી હું રાજ્યની પ્રજાને ખાતરી આપું છું કે કોરોનાની ત્રીજી લહેર આવશે તો પણ કોઈ તકલીફ નહીં પડે. પ્રજા હેરાન નહીં થાય. પરંતુ લોકોએ હજુ પણ સાવધાની રાખવાની જરૂર છે, કારણકે કોરોના હજુ ગયો નથી.

તેમણે એમ પણ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સખત મહેનત કરી એટલે તૈયાર પીચ મને મળી છે. આજે તેઓ દિલ્હીમાં બેસીને પણ ગુજરાતની ચિંતા કરે છે. કોરોના મહામારી હોય કે તૌક્તે વાવાઝોડું હોય પ્રજા કલ્યાણના તમામ કામો કર્યા છે અને ભરોસો તૂટવા દીધો નથી.

ભારતમાં કોરોના કેસ ફરી વધી રહ્યા છે. દેશમાં સતત ચોથા દિવસે 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 45,083 નવા કોરોના કેસ આવ્યા છે અને 460 સંક્રમિતોના મોત થયા છે. 24 કલાકમાં 35,840 લોકો કોરોનાથી ઠીક થયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)