Home Uncategorized આતંકવાદીઓએ નાપાક હરકતને આપ્યો અંજામ, BJPના નેતા અને તેમના પત્નીની ગોળી મારી...

આતંકવાદીઓએ નાપાક હરકતને આપ્યો અંજામ, BJPના નેતા અને તેમના પત્નીની ગોળી મારી હત્યા

Face Of Nation, 09-08-2021 : જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓએ નાપાક હરકતને અંજામ આપ્યો. શહેરના લાલ ચોક પર આતંકીઓએ ભાજપ નેતા ગુલામ રસૂલ ડાર અને તેમના પત્ની પર ફાયરિંગ કર્યું. બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા પણ ત્યાં તેમનું મોત થઈ ગયું.

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓએ સોમવારે ભારતીય જનતા પાર્ટી સાથે જો઼ડાયેલા સરપંચ અને તેમના પત્નીની હત્યા કરી નાખી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સરપંચ અને ભાજપ કિસાન મોરચાની કુલગામ જિલ્લા શાખાના અધ્યક્ષ ગુલામ રસુલ ડાર અને તેમના પત્ની પર ફાયરિંગ કર્યું.

અધિકારીઓએ જણાવ્યું કે બંનેને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઈ જવાઈ રહ્યા હતા પરંતુ રસ્તામાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. કુલગામના રેડવાનીના રહીશ ડાર ભાજપ સમર્થિત સરપંચ હતા. તેમણે ગત વર્ષે જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી પણ લડી હતી પરંતુ હારી ગયા હતા. ડાર હાલ અનંતનાગમાં ભાડાના મકાનમાં રહેતા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)