Home News ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન

Face of Nation 13-12-2021: મહેસાણા જિલ્લામાં ઊંઝાના ધારાસભ્ય આશાબેન બહેન પટેલના આજે સિદ્ધપુરના મુક્તિધામમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનો નશ્વરદેહ આખરે પંચમહાભૂતમાં વિલિન થયો છે. આશાબેનની અંતિમવિધિ તેમના ભાઇના હાથે પૂર્ણ કરાઇ છે. તમને જણાવી દઈએ કે ઊંઝા APMCથી આજે સવારે આશાબેન પટેલની અંતિમયાત્રા નીકળી હતી. ઊંઝા પથકમાં નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા. અંતિમ સંસ્કાર વખતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, બળવંતસિંહ, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જ્યાં ભારત માતાકી જય, વંદે માતરમ અને આશાબેન તુમ અમર રહોના નારા લાગ્યા હતા.

તમને જણાવીએ કે આશાબેનની ઊંઝામાં અંતિમયાત્રા પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને તેમના વતન વિશોળ ગામમાં દર્શાનાર્થે મૂકવામાં આવ્યો હતો. જ્યાં પુન: અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ આશા પટેલનો નશ્વરદેહને સિદ્ધપુર મુક્તિધામ લઈ જવામાં આવ્યો હતો. ત્યારે તેમની સાથે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને પૂર્વ રાજ્યસભા સાંસદ નટુજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આજે સિદ્ધપુરમાં આશાબેન પટેલની અંતિમવિધિ થનાર હતી, જેની આગમચેતી તમામ તૈયારીઓ પુરી કરી નાંખવામાં આવી હતી.

આજે સવારે 8 વાગ્યે ઊંઝા APMC ખાતેથી તેઓની અંતિમયાત્રા કઢાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યાત્રા બરોડા બેંક, વિજય સોસાયટી, સજ્જન બેંક, ગોકુલધામ, ઉમિયા માતાજી ચોક, ઉમા સોસાયટી રોડ, વિશ્વકર્મા રોડ, ગાંધીચોક, ઊંઝા નગરપાલિકાથી અંડર બ્રિજ થઈ તેઓના ગામ વિસોળ ખાતે લઇ જવાશે. ત્યાંથી અંતિમવિધિ માટે સિદ્ધપુર લઈ જવામાં આવશે

આશાબહેન પટેલના પાર્થિવ દેહને ગઇકાલે ઉંઝા એપીએમસીમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આશાબહેન પટેલના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી ઉંડા શોક સાથે શ્રધૃધાંજલિ પાઠવી હતી. સીએમ આશાબેનના પરિવારજનોને પણ મળ્યા હતા. ભાજપના ધારાસભ્ય, નેતાઓ અને સમર્થકોએ ઉંઝા એપીએમસીમાં પાર્થિવદેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

અત્રે નોંધનીય છે કે, ડેંગ્યૂના કારણે તેમનું અમદાવાદમાં આવેલ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. આશા બહેન પટેલના મલ્ટીપલ ઓર્ગન ફેઈલ થઈ ગયા હતા અને તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. તેમના નિધનથી ન માત્ર પરિવારમાં પરંતુ કાર્યકર્તાઓ અને ભાજપમાં શોકની લાગણી જોવા મળી રહી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)