Home News વાયુસેનાનું પ્રથમ C-17 વિમાન 200 ભારતીય નાગરિકો સાથે ભારત પરત ફરશે

વાયુસેનાનું પ્રથમ C-17 વિમાન 200 ભારતીય નાગરિકો સાથે ભારત પરત ફરશે

Face Of Nation 02-03-2022 : ભારતીય વાયુસેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાનું પ્રથમ C-17 વિમાન આજે રાત્રે 11 વાગ્યે રોમાનિયાથી લગભગ 200 ભારતીય નાગરિકો સાથે યુક્રેનથી પરત આવશે. પોલેન્ડ અને હંગેરીથી વધુ બે વિમાન આવતીકાલે સવારે પરત ફરશે.
ભારતીય નાગરિકો તાત્કાલિક ખાર્કિવ છોડી દે
યુક્રેનના ખાર્કિવમાં રહેતા ભારતીય નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. અહીં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક શહેર છોડી દેવાની સલાહ આપવામાં આવી છે.
રશિયાએ સેન્ટ્રલ ખાર્કિવમાં બીજી મિસાઈલ છોડી
આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, રશિયાએ ખાર્કિવમાં વધુ એક મોટો હુમલો કર્યો છે. વાસ્તવમાં, રશિયન સેનાએ સેન્ટ્રલ ખાર્કિવમાં મિસાઇલ છોડી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).