Home Politics પંજાબ કોંગ્રેસમા ઘમાસાણ, અમિત શાહને મળ્યા કેપ્ટન અમરિંદર સિંહ

પંજાબ કોંગ્રેસમા ઘમાસાણ, અમિત શાહને મળ્યા કેપ્ટન અમરિંદર સિંહ

Face Of Nation, 29-09-2021: પંજાબના રાજકીય ઘટનાક્રમ વચ્ચે મોટા સમાચાર છે. પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ એ કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. કેપ્ટન અને કેંદ્રીય ગૃહ મંત્રી સાથે મુલાકાત અમિત શાહના ઘરે થઇ. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 50 મિનિટ સુધી ચાલેલી અમિત શાહ અને કેપ્ટન અમરિંદરની મુલાકાત દરમિયાન ખેડૂતોના મુદ્દા પર ચર્ચા થઇ.

પંજાબ કોંગ્રેસ ના ઘમાસાણ વચ્ચે બધાની નજર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પર ટકેલી છે. સિદ્ધૂના રાજીનામા અને પંજાબમાં નવા મંત્રીઓના વિભાગોના વહેંચણીના તાત્કાલિક બાદ મંગળવારે જ કેપ્ટન દિલ્હી પહોંચ્યા. આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમની મુલાકાતને લઇને અટકળો ચાલી રહી હતી.

જોકે મંગળવારે જ્યારે કેપ્ટન અમરિંદર સિંહને પૂછવામાં આવ્યું કે શું તેમની અને કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહની મુલાકાત નક્કી છે, તો તેમણે તેની મનાઇ કરી દીધી. કેપ્ટનએ કહ્યું હતું કે તે કોઇને મળવા આવ્યા નથી પરંતુ દિલ્હીમાં સરકારી ઘર ખાલી કરવા માટે આવ્યા છે. સાથે આગામી પગલાંને લઇને કેપ્ટન અમરિંદર સિંહએ કહ્યું કે રાજકીય દ્વષ્ટિએ જોઇ કોઇ નવું પગલું ભરશે તો બધાને બતાવીશ.

કેપ્ટન અમરિંદર સિંહ એ કોંગ્રેસમાં રહેશે કે નહી તેના પર સ્પષ્ટ જવાબ આપ્યો નથી. જોકે તેમણે એટલું જરૂર કહ્યું છે કે ‘કોંગ્રેસ સાથે જોડાયેલો રહીશ કે નહી તેનો જવાબ હાલ આપી શકું નહી. તેમણે સિદ્ધૂ પર કહ્રણજી સિંહ ચન્નીને પોતાની રીતે ચલાવવાના આરોઅપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે ‘ સારું થયું નવજોત સિંહ સિદ્ધૂ અત્યારે પ્રધાન રહ્યા નહી, મેં તો પહેલાં જ કહ્યું હતું કે સ્ટેબલ નથી.’ (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)