Home Uncategorized ગુજરાતમાં કોરોનાના નવા 26 કેસ નોંધાયા : અમદાવાદમાં 18 કેસ, તો રિક્વરી...

ગુજરાતમાં કોરોનાના નવા 26 કેસ નોંધાયા : અમદાવાદમાં 18 કેસ, તો રિક્વરી દર 99.08% પર પહોંચ્યો

Face Of Nation 24-03-2022 : ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં 24 માર્ચના રોજ કોરોનાના નવા 26 કેસ નોંધાયા છે જ્યારે 30 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કુલ 12,12, 595 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોના રિકવરી દર 99. 08 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 295 છે. જેમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમજ 293 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10,942 એ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 18, વડોદરામાં 3, દાહોદમાં 1, ડાંગમાં 1, ગાંધીનગરમાં 1, વડોદરા ગ્રામીણમાં 1 કેસ અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).