Home Gujarat ગુજરાતમાં કોરોનાના નવા 40 કેસ નોંધાયા; 82 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ...

ગુજરાતમાં કોરોનાના નવા 40 કેસ નોંધાયા; 82 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ 99. 06 ટકા થયો

Face Of Nation 11-03-2022 : ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 10 માર્ચના રોજ કોરોનાના નવા 40 કેસ નોંધાયા છે. જ્યારે શૂન્ય મૃત્યુ નોંધાયા છે. તેમજ 82 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.ગુજરાતમાં નોંધાયેલા કોરોનાના કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં 18, ગાંધીનગરમાં 3, મોરબીમાં 3, તાપીમાં 2, વડોદરા ગ્રામીણમાં 2, વડોદરામાં 2, આણંદમાં 1, અરવલ્લીમાં 1, દાહોદમાં 1, ડાંગમાં 01, ખેડામાં 1, રાજકોટમાં 1, સુરત ગ્રામીણમાં 1, સુરતમાં 01 , સુરેન્દ્રનગરમાં 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે.ગુજરાતમાં કોરોનાના કેસની વાત કરીએ તો હાલ કોરોનાના 566 એક્ટિવ કેસ છે. જેમાંથી 7 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 559 લોકો સ્ટેબલ છે. તેમજ અત્યાર સુધી કોરોનાને લીધે 10,938 લોકો મૃત્યુ પામ્યા છે.ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 99. 06 ટકા થયો છે. જયારે રાજયના આરોગ્ય વિભાગના પ્રયસોને લીધે અત્યાર સુધી 12,12, 011 લોકોએ કોરોનાને હરાવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).