Home Gujarat ગુજરાતમાં આજે કોરોનાના નવા 33 કેસ નોંધાયા, 13 દિવસ બાદ કોરોનાથી 1...

ગુજરાતમાં આજે કોરોનાના નવા 33 કેસ નોંધાયા, 13 દિવસ બાદ કોરોનાથી 1 દર્દીનું મોત

Face Of Nation 14-03-2022 : ગુજરાતમાં ધીરેધીરે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, આજે રાજયમાં કોરોનાના નવા 33 કેસ નોંધાયા છે. આ સાથે રાજયમાં કોરોનાના મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે માત્ર એક જ દર્દીનું મોત થયું છે. અમદાવાદમાં કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું છે. આજે રાજયભરમાં કોરોનાના 63 દર્દીઓ સાજા થયા છે.‍ રાજયમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 12,12,187 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.‍આ સાથે રાજયમાં કોરોનાનો રીકવરી રેટ 99.06 ટકા જેટલો છે.‍
અમદાવાદમાં કોરોનાના કુલ 19 કેસ નોંધાયા
જિલ્લાવાર કોરોનાનાં કેસોની સંખ્યા પર નજર કરીએ તો અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ 19 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાં કોરોનાના 3 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાં 02 કેસ, રાજકોટમાં 02 કેસ, ગાંધીનગરમાં 02 કેસ નોંધાયા છે, આ સાથે દાહોદમાં 01, મોરબીમાં 01, પાટણમાં 01, સુરતમાં 01, તાપીમાં 01 કેસ નોંધાયો છે. આમ, આજે ગુજરાતમાં કોરોનાના કુલ 33 કેસ નોંધાયા છે. ડિસ્ચાર્જ દર્દીઓની વિગતવાર વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 24 દર્દી ડિસ્ચાર્જ થયા છે, વડોદરા કોર્પોરેશનમાં 15 દર્દી, બનાસકાંઠામાં 1, ગાંધીનગર જિલ્લામાં 4, સુરત કોર્પોરેશનમાં 1, અમદાવાદમાં 2, આણંદમાં 2, અરવલ્લીમાં 1, ભરૂચમાં 2 અને ડાંગમાં 3-વડોદરામાં 3 દર્દી ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર- મહીસાગર-નવસારી-સુરતમાં 1-1 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ રાજયમાં આજે કુલ 63 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).