Home Gujarat ગુજરાતમાં કોરોનાના નવા માત્ર 29 કેસ નોંધાયા, રિકવરી રેટ 99. 07 ટકા...

ગુજરાતમાં કોરોનાના નવા માત્ર 29 કેસ નોંધાયા, રિકવરી રેટ 99. 07 ટકા પર પહોંચ્યો

Face Of Nation 15-03-2022 : ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવા તરફ આગળ વધી રહી છે. જેમાં રાજયના કોરોનાના કેસના સતત ઘટાડો જોવા મળી રહ્યો છે . જેમાં 15 માર્ચના રોજ કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાના 63 દર્દીઓ સાજા થયા છે.ગુજરાતમાં આજે રાજય ભરમાં 63 દર્દીઓ સાજા થયા છે. જેમાં રાજયન આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે અત્યાર સુધી 12,12,250 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે . તેમજ રાજયમાં કોરોના રિકવરી રેટ 99. 07 ટકા થયો છે.ગુજરાતમાં કોરોનાના કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં 14, વડોદરામાં 4, બનાસકાંઠામાં 2, સુરતમાં 2, આણંદમાં 1, દાહોદમાં 1, ગાંધીનગરમાં 1, કચ્છમાં 1, સાબરકાંઠામાં 1, સુરત ગ્રામીણમાં 1, સુરેન્દ્રનગરમાં 1 અને બાકીના જિલ્લા અને શહેરોમાં કોરોનાના એક પણ કેસ નોંધાયો નથી.ગુજરાતમાં હાલ કોરોના એક્ટિવ કેસની સંખ્યા 492 છે . જેમાંથી 6 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 486 લોકો સારવાર લઈ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના લીધે અત્યાર સુધી 19939 લોકોએ જીવ ગુમાવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).