Home Gujarat ગુજરાતમાં આજે કોરોનાના નવા 13 કેસ નોંધાયા; 2ના મૃત્યુ થતાં રિકવરી રેટ...

ગુજરાતમાં આજે કોરોનાના નવા 13 કેસ નોંધાયા; 2ના મૃત્યુ થતાં રિકવરી રેટ 99.08% પર પહોંચ્યો

Face Of Nation 21-03-2022 : ગુજરાતમાં ધીરેધીરે કોરોનાના કેસો અંકુશમાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોરોનાના નવા કુલ 13 કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કારણે મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. આજે રાજયમાં કોરોનાને કારણે 2 દર્દીના મોત થયા છે. આજે રાજયભરમાં 36 દર્દીઓ સાજા થયા છે.‍ રાજયમાં અત્યાર સુધીમાં 12,12,513 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.‍આ સાથે રાજયનો રીકવરી રેટ 99.08 ટકા જેટલો છે.‍ રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધી કુલ 1,83,388 વ્યક્તિનું રસીકરણ કરાયું છે. રાજયમાં હાલ કોરોનાના કુલ 326 કેસ એક્ટીવ છે. જેમાં 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 321 દર્દીઓની હાલત સ્થિર છે, અત્યારસુધીમાં રાજયમાં કુલ 10,941 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).