Home News કોરોનાના કારણે માનચેસ્ટરની 5 મી ટેસ્ટ બે દિવસ માટે સ્થગિત.. વધુ જાણો...

કોરોનાના કારણે માનચેસ્ટરની 5 મી ટેસ્ટ બે દિવસ માટે સ્થગિત.. વધુ જાણો અહીં ક્લિક કરો

Face Of Nation, 10-09-2021: ભારત અને ઈંગ્લેન્ડના ક્રિકેટ ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાનારી શ્રેણીની પાંચમી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમત મુલતવી રાખવામાં આવી છે. આ શ્રેણી દરમિયાન કોમેન્ટેટરની ભૂમિકામાં દેખાયેલા ભારતીય ક્રિકેટર અને દિનેશ કાર્તિકે આ અંગે માહિતી આપી છે. પાંચમી ટેસ્ટનું આયોજન કરવામાં આવશે કે નહીં, પરિસ્થિતિને સ્પષ્ટ થવામાં થોડો વધુ સમય લાગી શકે છે.

ECB એ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, “વર્તમાન પરિસ્થિતિને જોતા, માન્ચેસ્ટર ટેસ્ટના પ્રથમ બે દિવસની રમત મુલતવી રાખવામાં આવી છે. હવે મેચ રવિવારથી શરૂ થશે. બંને દેશોના બોર્ડ દ્વારા સમગ્ર મામલા પર નજર રાખવામાં આવી છે. જો મેચ રવિવારથી શરૂ નહીં થાય તો તેને રદ ગણવામાં આવશે

પહેલા આ શ્રેણી દરમિયાન કોમેન્ટેટરની ભૂમિકામાં જોવા મળેલા ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે મેચના પ્રથમ દિવસને મુલતવી રાખવાની માહિતી આપી હતી. દિનેશ કાર્તિકે ટ્વિટ કર્યું હતું કે, ઓલ્ડ ટ્રેફોર્ડમાં પ્રથમ દિવસની રમતની કોઈ તક નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)