Home News રાજ્યમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા,21 દર્દીઓ સાજા થયા

રાજ્યમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા,21 દર્દીઓ સાજા થયા

Face Of Nation, 16-10-2021: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 22 કેસ નોંધાયા છે. જેની સામે 21 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10086 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2,96,273 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 6,67,17,912 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે.
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 5, સુરતમાં 9, વલસાડમાં 4, જૂનાગઢમાં 2, નવસારી, વડોદરામાં 1-1 સહિત કુલ 22 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ અમદાવાદમાં 6, વલસાડમાં 5, સુરતમાં 4, રાજકોટમાં 3, વડોદરા, નવસારી અને ભાવનગરમાં 1-1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યારે કુલ 213 એક્ટિવ કેસ છે, જેમાં 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 207 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815981 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)