Home Uncategorized કોરોના કાળ : શાસકોની બેદરકારી અને પ્રજાની નિષ્ક્રીયતાએ છેલ્લા 24 કલાકમાં વધુ...

કોરોના કાળ : શાસકોની બેદરકારી અને પ્રજાની નિષ્ક્રીયતાએ છેલ્લા 24 કલાકમાં વધુ 17 હજારને કોરોના પોઝિટિવ

Face of Nation 18-01-2022 : ગુજરાતમાં ત્રણેય લહેરમાં પહેલીવાર 17 હજારથી વધુ કેસ નોંધાયા છે. 10 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17 હજાર 119 નવા કેસ નોંધાયા છે અને 7 હજાર 883 દર્દી ડિસ્ચાર્જ થયા છે. તો એક્ટિવ કેસ પણ 79 હજારને પાર થયાં છે. 256 દિવસ બાદ 12 હજારથી વધુ કેસ નોઁધાયા છે, અગાઉ 7 મેના રોજ 12 હજાર 64 કેસ હતા. અમદાવાદ શહેર અને સુરત જિલ્લામાં 3-3, સુરત શહેરમાં 2 અને ભાવનગર શહેરમાં 1 મળી કુલ 10નાં મોત થયાં છે.
રાજ્યમાં આજે 17319 કેસ નોંધાતા હવે બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. હવે નવા કેસો 17 હજારને પાર થઈ ગયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).