Home News ઉત્તરાયણ પછી સોમવારે કોરોનાના કેસો 12 હજારને પાર, 5ના મૃત્યુ

ઉત્તરાયણ પછી સોમવારે કોરોનાના કેસો 12 હજારને પાર, 5ના મૃત્યુ

Face of Nation 17-01-2022 : ઉત્તરાયણે ધાબે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. કોરોનાના સમયે ઉત્તરાયણ બાદ આજે 12 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. રાજ્યમાં ત્રીજી લહેરમાં પહેલીવાર 12 હજારથી વધુ કેસ નોંધાયા છે. 5 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા હતા. ઉત્તરાયણના બે દિવસ દરમિયાન કેસ ઘટ્યા હતા. ત્યારબાદ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12 હજાર 753 નવા કેસ નોંધાયા છે અને 5 હજાર 984 દર્દી ડિસ્ચાર્જ થયા છે. તો એક્ટિવ કેસ પણ 70 હજારને પાર થયાં છે. 256 દિવસ બાદ 12 હજારથી વધુ કેસ નોઁધાયા છે, અગાઉ 7 મેના રોજ 12 હજાર 64 હતા.
રાજ્યમાં અત્યાર સુધીમાં 9 લાખ 38 હજાર 993ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 164 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 58 હજાર 455 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 70 હજાર 374 એક્ટિવ કેસ છે, જેમાંથી 95 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 70 હજાર 279 દર્દીની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).