Home News ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે તાત્કાલિક કેદારનાથ યાત્રા પર લગાવી રોક

ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે તાત્કાલિક કેદારનાથ યાત્રા પર લગાવી રોક

Face Of Nation, 17-10-2021: ગુજરાત સહિત દેશભરમાં હાલમાં મેઘરાજાએ વિદાય લીધી છે, જોકે કેરળમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રાજ્યમાં ભારે વરસાદનાં કારણે 18થી વધૂ લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં દિવસેને દિવસે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. હાલ કેરળમાં પાંચ જિલ્લામાં વરસાદને લઈને રેડ અલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે એક ડઝન જિલ્લા એવા છે જ્યાં યેલૉ અલર્ટ આપી દેવામાં આવ્યું છે. પરિસ્થિતિને જોતાં રાજ્યના મુખ્યમંત્રીએ પણ સેનાને મોકલવા માટે આગ્રહ કર્યો છે. કેરળમાં આવી પરિસ્થિતિની વચ્ચે હવે ઉત્તરાખંડમાં પણ આફતના એંધાણ જોવા મળી રહ્યા છે.

કેરળ બાદ હવે ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે ત્રણ દિવસ સુધી આખા રાજ્યમાં ભારે વરસા વરસી શકે છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશરનાં કારણે વરસાદના જોખમને જોતાં તંત્ર દોડતું થયું છે.

ભારે વરસાદની આગાહીને જોતાં ઉત્તરાખંડમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ ધામ કેદારનાથમાં યાત્રાને રોકી દેવામાં આવી છે. આગામી જાહેરાત સુધી યાત્રા રોકાયેલી રહેશે અને સાથે સાથે સ્થાનિકોને પણ અલર્ટ રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે ઉત્તરાખંડમાં પર્વતોને કારણે ભારે વરસાદ પડે ત્યારે પહાડો તૂટવાના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવે છે જેમા ઘણા લોકો દર વર્ષે પોતાના જીવ ગુમાવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)