Home Uncategorized પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત બગડી, AIIMSમાં ભરતી

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત બગડી, AIIMSમાં ભરતી

Face Of Nation, 13-10-2021:  પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને તાવની ફરિયાદ બાદ એઇમ્સ દિલ્હીમાં ભરતી કરવામાં આવ્યા છે. એક સૂત્રએ કહ્યું હતું કે બે દિવસ અગાઉ તેઓને તાવ આવ્યો હતો અને આજે ડોક્ટરોની સલાહ પર તેઓને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યા છે અને ચિંતાની કોઇ વાત નથી.

મનમોહન સિંહને આ વર્ષે કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. તેઓ 19 એપ્રિલના રોજ કોરોના પોઝિટીવ થયા હતા ત્યારબાદ એઇમ્સમાં દાખલ કરાયા હતા. બાદમાં 29 એપ્રિલના રોજ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પૂર્વ વડાપ્રધાને ચાર માર્ચ અને ત્રણ એપ્રિલના રોજ કોરોનાની રસીના બંન્ને ડોઝ લીધા હતા.

88 વર્ષીય મનમોહન સિંહને સુગરની  બીમારી છે. તેઓની બે વખત બાયપાસ સર્જરી થઇ ચૂકી છે. તેમની પ્રથમ સર્જરી વર્ષ 1990માં યુકેમાં થઇ હતી. જ્યારે 2009માં એઇમ્સમાં બીજી બાયપાસ સર્જરી થઇ હતી. ગયા વર્ષે એક નવી દવાના કારણે રિએક્શન અને તાવ આવ્યા બાદ પણ મનમોહન સિંહને એઇમ્સમાં ભરતી કરાયા હતા. અનેક દિવસો બાદ તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી.

કોગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહ હાલમાં રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે. સિંહ વર્ષ 2004થી 2014 સુધી વડાપ્રધાન રહ્યા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)