Home Gujarat ગુજરાતમાં કોરોનાના નવા 18 કેસ નોંધાયા; અમદાવાદમાં 9 કેસ તો રિકવરી દર...

ગુજરાતમાં કોરોનાના નવા 18 કેસ નોંધાયા; અમદાવાદમાં 9 કેસ તો રિકવરી દર 99.7% પર પહોંચ્યો

Face Of Nation 18-03-2022 : ગુજરાતમાં કોરોનાનાની ત્રીજી લહેર સમાપ્તિ તરફ આગળ વધી રહી છે. જેમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસોમાં તીવ્ર સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 18 ફેબ્રુઆરીના રોજ કોરોનાના નવા માત્ર 18 કેસ નોંધાયા છે. જયારે 48 દર્દીઓ સાજા થયા છે.તેમજ રાજયમાં અત્યાર સુધી કુલ 12, 12. 405 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99.7 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 384 છે. જેમાં 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમજ 378 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10,939 એ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 9 , વડોદરામાં 2, સુરતમાં 2, વડોદરા ગ્રામીણમાં 2, દાહોદમાં 1, ખેડામાં 1 અને સુરત ગ્રામીણમાં 1 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).