Home News ગુજરાતમાં કોરોનાના નજીવા 61 કેસ નોંધાયા, અમદાવાદમાં 25 કેસ, એક પણ મૃત્યુ...

ગુજરાતમાં કોરોનાના નજીવા 61 કેસ નોંધાયા, અમદાવાદમાં 25 કેસ, એક પણ મૃત્યુ નહિ

Face Of Nation 05-03-2022 : ગુજરાતમાં કોરોનાના કેસો સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં ગુજરાતમાં 05 ફેબ્રુઆરીના રોજ કોરોનાના માત્ર 61 કેસ નોંધાયા છે. તેમજ એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.ગુજરાતમાં આજે નોંધાયેલા કેસોમાં સૌથી વધારે અમદાવાદમાં 25, વડોદરામાં 09, વડોદરા ગ્રામીણમાં 05, ડાંગમાં 06, બનાસકાંઠામાં 03, ગાંધીનગરમાં 02, રાજકોટ ગ્રામીણમાં 02,અમદાવાદ ગ્રામીણમાં 01, આણંદમાં 01, અરવલ્લીમાં 01, ગાંધીનગર 01, નવસારી 01, રાજકોટમાં 01, સુરત ગ્રામીણના 01, સુરતમાં 01,તાપીમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી. ગુજરાતમાં આજે 186 દર્દીઓ સાજા થયા છે. તેમજ રાજ્યનો કોરોના રિકવરી રેટ 99.03 ટકા થયો છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 984એ પહોંચી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).