Home News ગુજરાતમાં આજે કોરોનાના નવા 20 કેસ, 23 સાજા થયા એક પણ મોત...

ગુજરાતમાં આજે કોરોનાના નવા 20 કેસ, 23 સાજા થયા એક પણ મોત નહી

Face Of Nation, 31-10-2021:  ગુજરાતમાં આજે કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 23 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં 8,16,283 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.75 ટકાએ પહોંચ્યો છે. જો કે તહેવારોના કારણે રસીકરણ થોડું ધીમું પડ્યું છે. રોજ લાખો ડોઝ અપાતા હતા તેના બદલે આજે માત્ર 94,555 રસીના ડોઝ જ આપી શકાયા હતા.

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 205 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 201 નાગરિકો સ્ટેબલ છે. 8,16,283 નાગરિકો અત્યાર સુધી કોરોનાને હરાવીને ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10089 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 4, વલસાડમાં 3, અમદાવાદ, જુનાગઢ અને અમદાવાદ કોર્પોરેશનમાં 2-2 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો હતો આ પ્રકારે કુલ 20 કેસ નોંધાયા હતા.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 3 ને રસીનો પ્રથમ ડોઝ, 409 ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 4122 નાગરિકોને રસીનો પ્રથમ અને 20827 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 12780 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 56414 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કલ 94,555 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,07,00,976 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)