Home Uncategorized AMC ના અધિકારીઓની ઝાટકણી, શું સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે લોકોએ...

AMC ના અધિકારીઓની ઝાટકણી, શું સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે લોકોએ શું ખાવું જોઇએ : ગુજરાત હાઇકોર્ટ

Face of Nation 09-12-2021: ગુજરાતમાં નોનવેજ અને ઈંડાની લારી હટાવવાનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે AMC ના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યુ કે, શું તમે નક્કી કરશો કે બહાર મારે શું ખાવાનું છે? સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે લોકોએ શું ખાવું? તમે લોકોની ઈચ્છાની ચીજ ખાવાથી કઈ રીતે રોકી શકો?

અમદાવાદમાં રસ્તા પર ઇંડા-નોનવેજની લારીઓના મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પર સુનવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારે રજુઆત કરી હતી કે, AMC એ લારીઓ લગાવેલો પ્રતિબંધ હટાવવામાં આવે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે AMC ના અધિકારીઓની આ મુદ્દે ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કડક વલણ અપનાવીને અધિકારીઓને સવાલ કર્યા હતા કે, તમે લોકોને પોતાની ઇચ્છાની ચીજ ખાવાથી કેવી રીતે રોકી શકો? શું કોઇ હોદ્દેદારોના કહેવાથી આ નિર્ણય લેવામાં આવ્યો? શું કાલે તમે નક્કી કરશો કે બહાર મારે શું ખાવું છે? શું સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે લોકોએ શું ખાવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે, 20 જેટલા અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં નોનવેજની લારીઓ  હટાવવા મામલે દાદ માંગતી અરજી કરી હતી. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આ બંધારણના મૂળભૂત અધિકાર માં ઉલ્લેખિત અનુચ્છેદ-14નો ભંગ છે અને આ નિર્ણય મનસ્વી રીતે લેવામાં આવ્યો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)