Home News કેસો વઘતા ગુજરાતમાં ફરી રાત્રિ કરફ્યૂના સમયમાં થઇ શકે છે મોટો ફેરફાર,...

કેસો વઘતા ગુજરાતમાં ફરી રાત્રિ કરફ્યૂના સમયમાં થઇ શકે છે મોટો ફેરફાર, જાણો કેટલાં વાગ્યાથી થશે લાગુ

Face of Nation 26-12-2021: ગુજરાતમાં કોરોના સંક્રમણ વધવાની સાથે સરકારે તાત્કાલિક અસરથી રાત્રિ કરફ્યુનો સમય 11 વાગ્યાનો કરવામાં આવ્યો છે. પરંતુ, આગામી દિવસોમાં કોરોના સાથે ઓમિક્રોનનો ફેલાવવાની શક્યતાને જોતા રાજ્યના ગૃહ વિભાગે સરકારને નાઇટ કરફ્યુનો અમલ રાતના 11ના બદલે રાતના નવ વાગ્યાથી કરવા માટે સુચન કર્યું છે.

મંગળવાર સુધીમાં રાત્રી કરફ્યુનો અમલ રાતના નવ વાગ્યાથી કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. ગુજરાતમાં એક જ દિવસમાં 179 જેટલા કેસ નોંધાતા રાજ્ય સરકાર પણ તેમના આગામી કાર્યક્રમોમાં ફેરફાર કરે તે માટે સુચન કરાયું છે.

જેમાં જણાવવામાં આવ્યું છે કે જો રાતના નવ વાગ્યાથી કરફ્યુ શરૂ કરવામાં આવે તો રાતના સમયે ટોળા એકત્ર થવાની શક્યતા ઘટી જશે. તેમજ રાજ્યના આઠ મહાનગરો ઉપરાંત, અન્ય શહેરોમાં પણ રાતના સમયે એકત્ર થતી ભીડને કાબુમાં રાખવા માટે પોલીસને કામગીરી કરવા માટે તાકીદ કરવામાં આવી છે. ટૂંક સમયમાં નવા નિયંત્રણોને સરકાર દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).