Home Uncategorized ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત્ રહેશે કે નહીં? રાજય સરકારે લીધો...

ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત્ રહેશે કે નહીં? રાજય સરકારે લીધો મોટો નિર્ણય

Face of Nation 30-11-2021: ઓમિક્રોનની આશંકાને પગલે ગુજરાત સરકારે અમદાવાદ સહિતના શહેરોમાં રાત્રિ કરફ્યુ યથાવત રાખવા નિર્ણય કર્યો છે. આઠ મહાનગરપાલિકામાં રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે. રાત્રિ કરફ્યૂનો સમય રાત્રિના એકથી સવારે પાંચ વાગ્યા સુધી યથાવત રહેશે.

રાજ્યના આઠ મહાનગરોમાં 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે. લગ્ન સમારંભની સીઝન ચાલી રહી છે ત્યારે લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ આપવામાં આવી છે પરંતુ લગ્ન માટે ડિજીટલ ગુ.પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત્ કરવામાં આવી છે.

કોરોનાને પગલે રાજ્ય સરકારે અમદાવાદ સહિતના મોટા શહેરોમાં રાત્રિ કરફયૂ સહિતના પ્રતિબંધો લાદ્યા છે. 30મી નવેમ્બરે રાત્રિ કરફ્યૂની સમય અવધિ પૂર્ણ થઇ રહી છે જેના પગલે રાજ્યના ગૃહ વિભાગે આ સમય અવધિને લંબાવી દીધી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)