Home News રાજકોટ બાદ ગુજરાતના આ શહેરમાં પણ મેયરે જાહેર રસ્તાઓ પરથી નોનવેજની લારીઓ...

રાજકોટ બાદ ગુજરાતના આ શહેરમાં પણ મેયરે જાહેર રસ્તાઓ પરથી નોનવેજની લારીઓ હટાવવાના આપ્યા આદેશ

Face Of Nation, 12-11-2021: ગુજરાતના રાજકોટ બાદ હવે વડોદરામાં પણ જાહેર માર્ગો પર ચાલતી નોનવેજ અને ઈંડાની લારીઓ હટાવવાના આદેશ આપવામાં આવ્યા છે. વડોદરા મહાનગર પાલિકાની સ્થાયિ સમિતિના ચૅયરમેન ડૉક્ટર હિતેંદ્ર પટેલે અધિકારીઓને આ અંગેની સૂચના આપી છે.

જે અનુસાર આગામી 10 દિવસમાં શહેરના જાહેર માર્ગ પર મટન,મચ્છી કે ઈંડાનું વેચાણ કરતી લારીઓને દૂર કરવાના નિર્દેશ અપાયા છે. એટલુ જ નહીં નોનવેજની દુકાનમાં પણ હવે જાહેરમાં મટન લટકાવી શકાય નહીં.

તાજેતરમાં જ રાજકોટ શહેરના મેયર ડૉક્ટર પ્રદીપ ડવે શહેરના જાહેર માર્ગો અને ધાર્મિક સ્થળની આસપાસ આવેલી નોનવેજ અને ઈંડાની લારીઓ હટાવવાના આદેશ આપ્યા હતા. ત્યાર બાદ શહેરના કેટલાક વિસ્તારમાંથી નોનવેજનું વેચાણ કરતી લારીઓ પણ હટાવવામાં આવી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)