Home News અંબાજીના પદયાત્રીઓને અકસ્માત નડ્યો, ખાનગી બસે ટ્રેક્ટરને અડફેટે લેતા એકનું મોત અને...

અંબાજીના પદયાત્રીઓને અકસ્માત નડ્યો, ખાનગી બસે ટ્રેક્ટરને અડફેટે લેતા એકનું મોત અને 12 ઘાયલ

Face Of Nation, 19-09-2021:  મહીસાગર જિલ્લાના બાલાસિનોર પાસે આવેલા કરણપુર ગામના પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે. અંબાજીની પદયાત્રા કરી રહેલા તમામ લોકો ઘરે પરત ફરતા હતાં. એ જ સમયે એક ખાનગી બસે યાત્રિકોથી ભરેલા ટ્રેક્ટરને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો. જેમાં એકનું મોત નિપજ્યું છે અને 12 જેટલાં શખ્સો ઘાયલ થયાં છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર અર્થે વાત્રક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માતના પગલે કરણપુર ગામમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો છે. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે પણ આ જ રીતે બનાસકાંઠાના અંબાજી નજીક રાણપુર નજીક પદયાત્રીઓને નડેલા અકસ્માતમાં 3નાં મોત નિપજ્યાં હતાં. વહેલી સવારે પદયાત્રીઓને અજાણ્યાં વાહન ચાલકે અકસ્માત સર્જતા 3 પદયાત્રીઓના મોત નિપજ્યાં હતાં. બાદમાં આ પદયાત્રીઓના મૃતદેહોને રેફરલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અકસ્માતમાં બે યુવક અને એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાને લીધે લોકોના ટોળેટોળાં એકઠાં થઈ ગયા હતાં (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)