Home News પાટીદારોના મંચ પરથી DYCM નીતિન પટેલે અનામત અને તાલિબાન અંગે આપ્યું મોટું...

પાટીદારોના મંચ પરથી DYCM નીતિન પટેલે અનામત અને તાલિબાન અંગે આપ્યું મોટું નિવેદન

Face Of Nation, 11-09-2021: ગુજરાતના DYCM નીતિન પટેલ  એ આજે 200 કરોડના ખર્ચે બનેલ સરદાર ધામ  ના લોકાર્પણમાં હાજરી આપી હતી. ત્યારે પાટીદારો ના મંચ પરથી તેમણે ઓબીસી અને તાલિબાન અંગે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે પાટીદારોને ઓબીસી માં સમાવવા મુદ્દે મોટી વાત કહી છે. તો સાથે જ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના તાલિબાનના ટ્વીટ અંગે પણ પ્રતિક્રિયા આપી છે.

પાટીદારોનો ઓબીસીમાં સમાવવા મુદ્દે નીતિન પટેલે કહ્યું કે, હજુ સુધી કોઈ જ્ઞાતિએ આ માટે રજૂઆત નથી કરી. ભારત સરકારે રાજ્ય સરકારોને સત્તા સોંપી છે. ભારત સરકારે પાર્લામેન્ટમાં કાયદો પસાર કર્યો છે. જેમાં રાજ્યો ઓબીસી જ્ઞાતિનો સમાવેશ કરી શકશે. કોઈપણ જ્ઞાતિ જો ઓબીસી  માં જોડાવા પાત્ર હશે તો તે સંદર્ભે સર્વે થશે. કોઈ જ્ઞાતિ મંજૂરી માંગશે તો અભ્યાસ કરવામાં આવશે. જે તે જ્ઞાતિનું સંગઠન માંગણી કરશે તો તે અંગે નિયમ મુજબ સર્વે થશે. અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. અત્યાર સુધીમાં કોઈ પણ જ્ઞાતિએ મંજૂરી માગી નથી. પંચની ભલામણ બાદ સરકાર અભ્યાસ કરશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)