Home Politics નોકરિયાત દંપતિને લઈ ગુજરાત સરકારે શું લીધો નિર્ણય, જાણો અહીં ક્લિક કરી

નોકરિયાત દંપતિને લઈ ગુજરાત સરકારે શું લીધો નિર્ણય, જાણો અહીં ક્લિક કરી

Face Of Nation, 17-10-2021: રાજ્ય સરકાર દ્વારા નોકરી કરતા દંપતિઓને લઈને ખૂબ જ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ શક્ય હોય ત્યાં સુધી એક જ સ્થળ નિયુક્ત કરવામાં આવશે. પતિ-પત્નિ સરકારી કર્મચારી હોય અને અલગ અલગ જિલ્લામાં કામ કરતા હોય તો તેઓ એક સાથે રહી સાથે તે માટે આવકાર દાયક નિર્ણય કરવામાં આવ્યો છે.

પૂરુષ કર્મચારીએ 2 વર્ષ અને મહિલા કર્મચારીએ 1 વર્ષ ફરજ બજાવી હશે તો આ નિયમ લાગુ પડશે. સરકારી વિભાગમાં ફરજ બજાવતા પતિ-પત્નીને એક જ સ્થળે રાખવા સરકારે પરિપત્ર જાહેર કર્યો છે.

ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે મોટી અને અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ભુપેન્દ્ર પટેલની સરકારે સરકારી કર્મચારીઓને દિવાળી બોનસ કરતા પણ વધારે મહત્વપૂર્ણ ભેટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા આજે પરિપત્ર બહાર પાડી જાહેરાત કરવામાં આવી  કે હવે પતિ-પત્ની બંને સરકારી નોકરી કરતા હોય તો બંને એક સ્થળ કે જિલ્લામાં નોકરી કરી શકે છે. પહેલા એ સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળતી કે પતિ પત્ની બંને સરકારી નોકરી કરતા હોય પરંતુ બંનેનું કામ કરવાનું સ્થળ અલગ-અલગ જિલ્લામાં હોય અથવા ખુબ દૂર હોય. આ કારણથી બંને પતિ પત્નીએ અલગ રહેવું પડતું અથવા ગમે એ એક ને નોકરી મુકવી પડે છે.  બદલી માટે અરજી કરે તો પણ તેમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)