Home Uncategorized દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ થયા કોરોના પોઝિટિવ, ટ્વિટ કરીને આપી જાણકારી

દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ થયા કોરોના પોઝિટિવ, ટ્વિટ કરીને આપી જાણકારી

Face of Nation 10-01-2022:  ભારતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આ અંગેની માહિતી તેમણે ટ્વીટ કરી આપી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે આજે મારો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે, હું કોરોના સંક્રમિત થયો છું, મને હળવા લક્ષણો હતા. હું હોમક્વારન્ટાઈન છું. મારા સંપર્કમાં આવેલા તમામ પોતાને આઈસોલેટ કરી લે અને ટેસ્ટ કરાવી લે.

રવિવારે મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાંથી કોવિડ-19ના ડરામણા આંકડા સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 44,388 નવા કેસ નોંધાયા છે. જ્યારે દિલ્હીમાં સંક્રમણના 22,751 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,695 નવા કેસ જોવા મળ્યા છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો, ત્યાં 24,287 નવા કેસ નોંધાયા છે અને તમિલનાડુમાં ચેપના 12,895 નવા કેસ નોંધાયા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).