Home Uncategorized પ્રદૂષણનું સ્તર ઘટાડવા દિવાળીમાં આ વર્ષે પણ સરકારે ફટાકડા ના વેચાણ પર...

પ્રદૂષણનું સ્તર ઘટાડવા દિવાળીમાં આ વર્ષે પણ સરકારે ફટાકડા ના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ

Face Of Nation, 15-09-2021:  દિલ્હીમાં હવાની ગુણવત્તામાં સંભવિત ઘટાડાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં તમામ પ્રકારના ફટાકડાના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.

સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વિટર હેન્ડલથી આ જાહેરાત કરી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “ગયા વર્ષની જેમ છેલ્લા 3 વર્ષથી દિવાળી દરમિયાન દિલ્હીના પ્રદૂષણની ખતરનાક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આ વખતે પણ તમામ પ્રકારના ફટાકડાના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જેથી લોકોના જીવન બચાવી શકાય. ” CM કેજરીવાલે બીજી ટ્વિટ કરી જેમાં તેમણે લખ્યું કે, “વેપારીઓ દ્વારા ફટાકડા સંગ્રહ કર્યા બાદ પ્રદૂષણની ગંભીરતાને જોતા ગયા વર્ષે સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જેના કારણે વેપારીઓને નુકસાન થયું હતું. તમામ વેપારીઓને અપીલ છે કે આ વખતે સંપૂર્ણ પ્રતિબંધને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારનો સંગ્રહ ન કરો.”

આ નિર્ણય તહેવારોની સીઝનના થોડા દિવસ પહેલા આવ્યો છે. આ વર્ષે દિવાળી 4 નવેમ્બરે ઉજવવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)