Home Uncategorized કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના સેલ્ફીકાંડથી ચર્ચામાં આવેલા લાલજીના લગ્ન લેવાયા અને અંતે રદ્દ...

કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના સેલ્ફીકાંડથી ચર્ચામાં આવેલા લાલજીના લગ્ન લેવાયા અને અંતે રદ્દ કરવામાં આવ્યા

Face Of Nation, 28-10-2021 : થોડા સમય અગાઉ છોકરીને નગ્ન સેલ્ફી મોકલીને ચર્ચામાં આવેલા અને ધર્મને કલંકિત કરનારા કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજીના લગ્ન લેવામાં આવ્યા હતા. તારીખ 13/11/2021 થી 28/11/2021 સુધી લાલજીના લગ્નના સમારંભનું જાહેર નોતરું સંપ્રદાયના માસિક અંક દ્વારા તમામ હરિભક્તોને આપવામાં આવ્યું હતું. જોકે હવે આ તમામ કાર્યક્રમો મોકૂફ રાખ્યા હોવાની જાહેરાત કરવામાં આવતા હરિભક્તોમાં અનેક ચર્ચાઓ ઉઠી છે. લાલજીના લગ્ન તૂટી ગયાથી લઈને અનેક ચર્ચાઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં ગણગણાટ શરૂ કરી દીધો છે.
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજીના લગ્ન પ્રતાપગઢ ઉત્તરપ્રદેશના રહેવાસી રાકેશ મોહનજી ઉપાધ્યાયની દીકરી સાથે 20/11/2021ના રોજ નક્કી કરવામાં આવ્યા હતા. આ લગ્ન સમારંભ અગાઉ સગાઈ વિઘી પણ કરવામાં આવી હતી. જેના ફોટાઓ સોશિયલ સાઇટ્સ ઉપર વાયરલ થયા હતા. હરિભક્તોને પણ આ લગ્નમાં આવવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે આમંત્રણ પત્રિકા સ્વામિનારાયણ સમ્પ્રદાયના માસિક અંક દ્વારા આપવામાં આવી હતી. ગત અંકમાં જ હજુ આ આમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી અને તેનો મહિનો પણ પૂરો થયો નથી ને સમગ્ર કાર્યક્રમ રદ્દ કરતી પોસ્ટ પણ વાયરલ થઇ ગઈ છે. સ્વામિનારાયણ મંદિરના પ્રધાનપંડિત વાસુદેવ ડી. પુરોહિતના નામે આ પોસ્ટ હાલ સ્વામિનારાયણ સમ્પ્રદાયના હરિભક્તોમાં વાયરલ કરવામાં આવી છે. જેને લઈને હરિભક્તોમાં અનેક ચર્ચાઓ ઉઠી છે. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, લાલજી મહારાજ વજેન્દ્રપ્રસાદના આગામી લગ્નવિધિ સમારંભના તમામ કાર્યક્રમો અનિવાર્ય સંજોગોને કારણે બંધ રાખવામાં આવ્યા છે.
સામાન્ય રીતે કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યની પત્ની કે લાલજીની પત્ની પડદામાં હોય છે, જેમને ગાદી વાળા બા કહેવામાં આવે છે. જેમને કોઈ પુરુષ જોઈ શકતા નથી. પરંતુ લાલજીની સગાઈ વિધિના ફોટો વાયરલ થતા તમામ સત્સંગીઓએ તેમના ભાવિ ગાદીવાલા અત્યારથી જોઈ લીધા છે. જો કે આને કારણે સ્વામિનારાયણ સંપ્રદાયની વર્ષો જૂની પરંપરા તૂટી છે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
વાંચો આવતી કાલે : પ્રાણ પ્રતિષ્ઠાના વિવાદમાં ભગવાન : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યની “મંદિર લખી આપો તો જ પ્રતિષ્ઠા કરવા આવું” તેવી જીદને કારણે હરિભક્તોમાં વિવાદ (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)