Home News ભારતમાં 231 દિવસ બાદ કોરોના પોઝિટિવના નોંધાયા સૌથી ઓછા કેસો

ભારતમાં 231 દિવસ બાદ કોરોના પોઝિટિવના નોંધાયા સૌથી ઓછા કેસો

Face Of Nation, 19-10-2021:   દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 13,058 નવા કેસ નોંધાયા છે અને 164 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 19,470 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,81,118પર પહોંચી છે. દેશમાં 231 દિવસ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે, જ્યારે એક્ટિવ કેસ 227 દિવસની નીચલી સપાટીએ છે.દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 40 લાખ 94 હજાર 373
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 34 લાખ 58 હજાર 081
કુલ એક્ટિવ કેસઃ 1 લાખ 83 હજાર 118
કુલ મોતઃ 4 લાખ 52 હજાર 454

દેશમાં અત્યાર સુધીમાં 98,67,69,411 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)