Home News દેશમાં 24 કલાકમાં નોંધાયા 29,616 નવા કેસ, 290 લોકોના મોત

દેશમાં 24 કલાકમાં નોંધાયા 29,616 નવા કેસ, 290 લોકોના મોત

Face Of Nation, 25-09-2021:  ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ સતત ઘટી રહ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 29,616 નવા કેસ અને 290 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 28,046 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 17,983નવા કેસ નોંધાયા હતા અને 127 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. કેરળમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 45,97,293 થઈ છે. જ્યારે મૃતકોનો આંકડો 24,318 પર પહોંચ્યો છે.

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 36 લાખ 24 હજાર 419
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 28 લાખ 76 હજાર 319
કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 01 હજાર 442
કુલ મોતઃ 4 લાખ 46 હજાર 658

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)