Home News ગાંધીધામના મીઠીરોહર પાસે કાર ચાલકે છકડોને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત; 2ના મોત,...

ગાંધીધામના મીઠીરોહર પાસે કાર ચાલકે છકડોને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત; 2ના મોત, 6થી વધુ ઘાયલ

Face Of Nation 27-03-2022 : પૂર્વ કચ્છના ગાંધીધામ નજીક આવેલા મીઠી રોહર ધોરીમાર્ગ પર આજે સાંજે અજાણ્યા કાર ચાલકે મુસાફરો ભરેલી છકડો રિક્ષાને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે 6થી વધુ લોકો ઘાયલ થયા છે. તો બીજીતરફ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે દોડી જઈ ઇજાગ્રસ્તોને સરકારી રામબાગ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે, અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થયો હતો.
મુસાફરો માર્ગ પર ફંગોળાઈ ગયા
મીઠીરોહર પાસે સર્જાયેલા અકસ્માતની પ્રાથમિક માહિતી મુજબ મુસાફર ભરેલી છકડો રીક્ષા ગાંધીધામ બાજુથી મીઠીરોહર તરફ આગળ વધી રહી હતી. ત્યારે અજાણ્યા કાર ચાલકે તેને પાછળથી ટક્કર મારી હતી. જેથી રીક્ષામાં સવાર મુસાફરો માર્ગ પર ફંગોળાઈ ગયા હતા. તેમની કરુણ ચિચિયારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).