Home News કેબિનેટનો નિર્ણય: જરૂરિયાતમંદોને સપ્ટેમ્બર સુધી મળશે ‘ફ્રી રાશન’, 6 મહિના સુધી PM...

કેબિનેટનો નિર્ણય: જરૂરિયાતમંદોને સપ્ટેમ્બર સુધી મળશે ‘ફ્રી રાશન’, 6 મહિના સુધી PM ‘ગરીબ કલ્યાણ યોજના’ લંબાવી

Face Of Nation 26-03-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ આજે સાંજે કેન્દ્રીય મંત્રિમંડળની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં મોંઘવારી, યુક્રેન તથા કોરોનાના વધતા કેસ અંગે ચર્ચા થવા જઈ રહી છે. દરમિયાન આ કેબિનેટ મીટિંગમાં ગરીબ અન્ન કલ્યાણ યોજનાને આગામી 6 મહિના સુધી લંબાવવા નિર્ણય કરાયો છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેબિનેટે નિર્ણય કર્યો છે કે 30મી સપ્ટેમ્બર સુધી આ યોજના લાગૂ રહેશે. અગાઉ આ યોજના 31 માર્ચના રોજ પૂરી થવાની હતી.
શું છે ગરીબ કલ્યાણ યોજના
કોરોના મહામારીને પગલે દેશમાં લાગૂ કરવામાં આવેલા લોકડાઉનમાં PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાને માર્ચ,2020માં શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં યોજના એપ્રિલથી જૂન 2020 સુધી હતી. ત્યારબાદ તેને લંબાવવામાં આવી હતી અને નવેમ્બર, 2021 સુધી તેને લાગૂ કરવામાં આવી હતી. ગરીબ કલ્યાણ યોજના હેઠળ 80 કરોડ લોકોને 5 કિલો ઘઉં અથવા ચોખા સાથે એક કિલો ચણા પ્રત્યેક મહિને આપવામાં આવે છે. આ અનાજ રાશનની દૂકાનના માધ્યમથી લોકોને આપવામાં આવે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).