Home Gujarat એરપોર્ટથી કમલમ સુધી રોડ શો યોજાશે; પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં 4 લાખ લોકો...

એરપોર્ટથી કમલમ સુધી રોડ શો યોજાશે; પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં 4 લાખ લોકો અભિવાદન માટે આવશે : પાટીલ

Face Of Nation 09-03-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. કોરોનાકાળ પછી પ્રથમ વખત પ્રધાનમંત્રી કોઈ મોટા જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત આવી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. પ્રધાનમંત્રીના રોડ શોને લઈને માહિતી આપતાં સી.આર પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં 4 લાખ લોકો અભિવાદન માટે આવશે.
પ્રધાનમંત્રીના રોડ શોમાં 4 લાખ લોકો અભિવાદન માટે ઊમટશે
પાટીલે વધુમાં ઉમેર્યું હતું કે 11મીએ સવારે દિલ્હીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ આવશે. એરપોર્ટથી કમલમ સુધી રોડ શો યોજાશે. પ્રધાનમંત્રીના આ રોડ શોમાં 4 લાખ લોકો અભિવાદન માટે આવશે, જેમાં અલગ અલગ સમાજ, સંસ્થાઓ, NGO અને કાર્યકર્તાઓ નક્કી કરેલા સ્થળે હાજર રહેશે. કોરોના પછી પ્રધાનમંત્રી મોદીનો આ સૌથી મોટો કાર્યક્રમ છે. પ્રધાનમંત્રી કમલમમાં નેતાઓ સાથે બેઠક કરશે. પ્રધાનમંત્રીના સરપંચ સંમેલન અંગે માહિતી આપતાં પાટીલે કહ્યું, સાંજે તેઓ સરપંચ સંમેલનમાં હાજર રહેશે. એમાં સરપંચથી લઈને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત 1.50 લાખ લોકો હાજર રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).