Home Gujarat મા હિરાબાના આશીર્વાદ લીધા બાદ પ્રધાનમંત્રી મોદીએ મા સાથે ખીચડીનો સ્વાદ માણ્યો

મા હિરાબાના આશીર્વાદ લીધા બાદ પ્રધાનમંત્રી મોદીએ મા સાથે ખીચડીનો સ્વાદ માણ્યો

Face Of Nation 11-03-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. ત્યારે સવારથી રાત સુધી અનેકવિધ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. છેલ્લે રાજભવન ખાતે સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપીને તેઓ તેમના માતા હીરાબાને મળવા માટે રાયસણ પહોંચ્યા હતાં. મા હીરાબાના આશીર્વાદ લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માતા સહિતના પરિવાર સાથે જમ્યાં હતાં.
99 વર્ષીય હીરાબા રાયસણ ખાતે દીકરા પંકજભાઈના સાથે રહે છે : પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબા સહિતનો પરિવાર રાયસણ ખાતેનાં વૃંદાવન બંગ્લોઝમાં રહે છે. ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલ દેશનાં વડાપ્રધાનનું પદ શોભાવી રહેલા નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા તથા ભાઇ પંકજભાઇ સહિતનો પરિવાર વર્ષોથી સેક્ટર 22માં આવેલા સરકારી મકાનમાં રહેતા હતા. ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનાં કાર્યકાળ દરમિયાન પણ હીરાબા સહિતનો પરિવાર એક સામાન્ય પરિવારની જેમ કોઇ પણ જાતની વિશેષ સુવિધા વગર સરકારી મકાનમાં રહેતો હતો. મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ તેના પરિવારની સુરક્ષા અંગે પણ ચર્ચા જાગી હતી. ત્યારબાદ પરિવાર ત્યાં શિફ્ટ થયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)