Home Religion અમરેલી : લાઠીના દૂધાળા ગામે નારણ સરોવરમાં ન્હાવા પડેલા 5 કિશોરો ડૂબતાં...

અમરેલી : લાઠીના દૂધાળા ગામે નારણ સરોવરમાં ન્હાવા પડેલા 5 કિશોરો ડૂબતાં મોત; પરિવારમાં આક્રંદ

Face Of Nation 26-03-2022 : અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારાયણ સરોવરમાં બપોરના 1 વાગ્યા આસપાસ 5 કિશોરો ન્હાવા આવ્યા હતા. ત્યારે આ કિશોરો પાણીમાં ડૂબી ગયા હતા. જેથી તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન આ તમામ કિશોરના મૃતદેહ મળી આવ્યાં છે. કિશોરોના મોતના પગલે તેના પરિવારજનોમાં માતમ છવાયો છે. આ પાંચ કિશોરમાંથી 3 કિશોર પરિવારના એકના એક દિકરા હતા. બીજીતરફ પાંચેય કિશોરોના મોતને પગલે લાઠી શહેરમાં 5 વાગ્યા બાદ સજ્જડ બંધ થયું હતું. વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બાળકોની આત્મનાને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
પરિવારના એકના એક દિકરાના મોત
મજૂરી કામ કરી રહેલા પરિવારના એકના એક દિકરાના મોત થયા છે. રાહુલ પ્રવિણભાઇ જાદવ, મીત ભાવેશભાઈ ગળથિયા અને નમન અજયભાઈ ડાભી આ ત્રણેય પરિવારના એકના એક દિકરા હતા. જેઓના ડુબી જવાથી મોત થયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).