Home News ‘ટાઈમ પાસ’: ‘સરવેમાં 2 વાત આવે છે, જે જગ્યાએ બેઠો છું એ...

‘ટાઈમ પાસ’: ‘સરવેમાં 2 વાત આવે છે, જે જગ્યાએ બેઠો છું એ સારી છે અને બીજી વાત કે રાજકારણમાં જાવ’: નરેશ પટેલ

Face Of Nation 28-03-2022 : નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સરવેમાં બે વાત આવે છે, જે જગ્યાએ બેઠો છું એ સારી છે અને બીજી વાત કે રાજકારણમાં જાવ. દરેક ગામમાં ખોડલધામની સમિતિ છે અને ત્યાં સરવે ચાલી રહ્યો છે. ત્રણ પાર્ટીના નેતા મારા સંપર્કમાં છે, સેવા કરવા રાજકારણમાં જોડાવું અમુક અંશે જરૂરી છે. રાજકારણમાં જોડાઇશ તો ખોડલધામમાં ચેરમેન પદેથી રાજીનામું આપી દઇશ. બીજીતરફ નરેશ પટેલ સાંજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં એવા સવાલો લોકોમાં ચર્ચામાં છે. ત્યારે સવાલોનો જવાબ આજે નરેશ પટેલ દ્વારા આપવામાં આવ્યા છે.
રાજકારણ જોડાવવાની જાહેરાત ટૂંક સમયમાં કરીશ
પત્રકાર પરિષદમાં નરેશ પટેલે જણાવ્યું કે હુ રાજકારણમાં જોડાવાનો છું, આ માટે મને થોડો સમય આપો. હજુ મને તમે થોડો સાથ સહકાર આપો. અને, હું ટૂંક જ સમયમાં રાજકારણમાં જોડાવા અંગે જાહેરાત કરીશ. તેમણે આ સાથે ઉમેર્યું કે, સરવે સમિતિ ગુજરાતભરમાં હાલ સરવે કરી રહી છે. સરવે સમિતિ જણાવશે.
ચેરમેનપદે રાજીનામું આપે એ પરવડે નહીં
એક અભિપ્રાયમાં યુવાનો એવું કહે છે કે, ખોડલધામમાં ચેરમેનપદે રાજીનામું આપે એ પરવડે નહીં. હજુ દરેક જિલ્લામાં પ્રવાસ ચાલુ છે. મેં કહ્યું હતું પણ અનેક ગામમાં સરવે બાકી છે. સરવેમાં રાજકારણમાં પ્રવેશ કરું તો ખોડલધામમાંથી રાજીનામું આપશો એવો સવાલ યુવાનો કરી રહ્યા છે. હજુ મને તમે સાથસહકાર આપો. મને હજી થોડો સમય આપો, હજુ દરેક જિલ્લામાં પ્રવાસ ચાલુ છે, કાલથી ફરી હું પ્રવાસે જઇશ.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).