Home Politics નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ અંગે હજુ 1 મહિના પછી નિર્ણય લેશે; બિઝનેસના...

નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ અંગે હજુ 1 મહિના પછી નિર્ણય લેશે; બિઝનેસના કામોમાં વ્યસ્તતાના કારણે નિર્ણયમાં વિલંબ થશે?

Face Of Nation 26-03-2022 : લેઉવા પાટીદાર સમાજને ચહેરો ગણાતા ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઈને મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે. તેની નજીકના સુત્રો પાસેથી જામવા મળ્યું છે કે, નરેશ પટેલ એપ્રિલ મહિનામાં રાજકારણમાં જોડાવા અંગે કોઈ નિર્ણય લઈ લેશે. અગાઉ તેમણે 20મીથી 30મી માર્ચ સુધીમાં નિર્ણય જાહેર કરવાની વાત કરી હતી, પણ હવે એપ્રિલ મહિનાની તારીખ રાખવામાં આવી રહી છે. તેમના નજીકના સૂત્રોએ એમ પણ કહ્યું છે કે, બિઝનેસના કામોમાં વ્યસ્તતાના કારણે નિર્ણયમાં વિલંબ થઈ રહ્યો છે. થોડા દિવસોમાં એક મોટી સભા યોજાવાની છે આ સભા બાદ તે પોતાનો નિર્ણય કરી શકે છે. પાટીદાર અગ્રણી નરેશ પટેલનું રાજકારણમાં આવવુ એક કોયડો બન્યુ છે. નરેશ પટેલને દરેક પાર્ટી પોતાના પક્ષમાં લેવા આતુર છે, પરંતુ હજુ સુધી તેઓ ક્યાં જોડાશે તે હજી સુધી સામે આવ્યુ નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).