Home Gujarat અમદાવાદના સનાથલ પાસે નવું સર્કિટ હાઉસ બનાવવામાં આવશે : પૂર્ણેશ મોદી

અમદાવાદના સનાથલ પાસે નવું સર્કિટ હાઉસ બનાવવામાં આવશે : પૂર્ણેશ મોદી

Face Of Nation 23-03-2022 : વિધાનસભા ગૃહમાં આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા અમદાવાદના સનાથલ પાસે નવું સર્કિટ હાઉસ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ અંગે વિધાનસભા ગૃહમાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ જાહેરાત કરી હતી. નોંધનીય છે કે, સર્કિટ હાઉસ ખાતે બહારથી આવતા મહાનુભવોને ઉતારો આપવામાં આવે છે.
રાષ્ટ્રપતિ આવતીકાલે બનશે ગુજરાતના મહેમાન
ગાંધીનગર: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમના પ્રવાસમાં ટાઈમ ટેબલની વાત કરીએ તો તેઓ સવારે 9.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાર બાદ સવારે 10 વાગ્યે રાજભવન ખાતે જશે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત વિધાનસભામાં સવારે 11 વાગ્યે વિધાનસભામાં સંબોધન કરશે. મળતી માહિતી પ્રમાણે બજેટસત્રની બેઠકમાં રાષ્ટ્રપતિ એક કલાક સંબોધન કરશે. તેઓ રાજભવન ખાતે જ રાત્રી રોકાણ કરશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).