Home Uncategorized પેલેસ્ટાઈનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું મોત, દૂતાવાસમાં મૃત હાલતમાં મળી આવ્યાં

પેલેસ્ટાઈનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું મોત, દૂતાવાસમાં મૃત હાલતમાં મળી આવ્યાં

Face Of Nation 06-03-2022 : પેલેસ્ટાઈમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું શંકાસ્પદ સ્થિતિમાં અવસાન થયું છે. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે મુકુલ આર્યાના અવસાનની પુષ્ટી કરી છે અને કહ્યું છે કે તેમને ભારે આઘાત લાગ્યો છે. પેલેસ્ટાઈનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ભારતીય રાજદ્વારીના અવસાનથી તેમને દુઃખ છે. હજુ સુધી તેમના અવસાન અંગે કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. વિદેશ મંત્રીએ કહ્યું કે રમલ્લામાં ભારતના પ્રતિનિધિ મુકુલ આર્યના સમાચાર ભારે આઘાતજનક છે.
પેલેસ્ટાઈનના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું
પેલેસ્ટાઈનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પેસેસ્ટાઈનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યના અવસાનથી તેમને ભારે આઘાત લાગ્યો છે. અમે ભારતીય વિદેશ મંત્રાલયનો સત્તાવાર રીતે સંપર્ક કરી રહ્યા છીએ જેથી મૃતક રાજદૂતના પાર્થિવ શરીરને તેમના દેશ પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ. તેમણે મુકુલ આર્યને એક પ્રતિભાશાળી અધિકારી ગણાવ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).