Home News પૂણે મેટ્રોમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રી મોદીએ મુસાફરી કરી

પૂણે મેટ્રોમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રી મોદીએ મુસાફરી કરી

Face Of Nation 06-03-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને કાઉન્ટર પરથી જાતે ટિકિટ ખરીદીને ટ્રેનમાં મુસાફરી કરી. પ્રધાનમંત્રીએ ગરવારે મેટ્રો સ્ટેશન ખાતે કુલ 32 કિલોમીટર લાંબા પ્રોજેક્ટના 12 કિલોમીટરના પટનું ઉદ્ઘાટન કર્યું અને આ સ્ટેશનથી લગભગ પાંચ કિલોમીટર દૂર આવેલા આનંદનગર સ્ટેશન સુધી મેટ્રો દ્વારા મુસાફરી કરી હતી.
વિકલાંગ લોકો સાથે વાતચીત કરી
10 મિનિટની આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ મેટ્રોના ડબ્બામાં હાજર વિકલાંગ લોકો સાથે વાતચીત કરી હતી.ગરવારે સ્ટેશનથી મેટ્રો ટ્રેનમાં ચડતા પહેલા મોદીએ ત્યાં મુકવામાં આવેલા પ્રોજેક્ટના એક પ્રદર્શનનું પણ નિરીક્ષણ કર્યું હતું. મેટ્રો પ્રોજેક્ટના 12 કિલોમીટરના પટમાં ગરવારે કોલેજથી વનાજ અને પિંપરી ચિંચવડ મ્યુનિસિપાલિટીથી ફુગેવાડી સુધીની બે મેટ્રો લાઇન પરના બે પ્રાથમિકતા વિભાગોનો સમાવેશ થાય છે. પુણે મેટ્રો પ્રોજેક્ટનો કુલ ખર્ચ 11,400 રૂપિયા કરોડથી વધુ છે. પ્રધાનમંત્રીએ 24મી ડિસેમ્બર, 2016ના રોજ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).