Home Uncategorized શ્રીનગર : 29 વર્ષીય પોલીસ કોન્સ્ટેલની ગોળી મારીને હત્યા કરી, 3 દિવસમાં...

શ્રીનગર : 29 વર્ષીય પોલીસ કોન્સ્ટેલની ગોળી મારીને હત્યા કરી, 3 દિવસમાં જવાનો પર બીજો હુમલો

Face Of Nation, 07-11-2021: રવિવારે સાંજે શ્રીનગરના બટમાલુ વિસ્તારમાં આતંકવાદીઓ ત્રાટક્યા હતા અને પોલીસ કોન્સ્ટેબલ તૌસીફ અહેમદના ઘર નજીક તેમની પર ગોળીબાર કર્યો હતો. આતંકીઓના ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયા તૌસીફ અહેમદનું મોત થયુ હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, “રાત્રે 8 વાગ્યાની આસપાસ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસ કોન્સ્ટેબલ તૌસિફ અહમદ પર બટમાલૂની એસડી કોલોનીમાં તેમના નિવાસસ્થાન નજીક ગોળીબાર કર્યો હતો.” તેમણે કહ્યું કે કોપ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને એસએમએચએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોને પકડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે.