Home News ‘માન’ની મોટી ભેટ; રાશન માટે ગરીબોને લાઈનમાં ઉભા નહીં રહેવું પડે; ફોન...

‘માન’ની મોટી ભેટ; રાશન માટે ગરીબોને લાઈનમાં ઉભા નહીં રહેવું પડે; ફોન કરતાં જ ઘરે પહોંચાડાશે રાશન!

Face Of Nation 28-03-2022 : પંજાબ સરકારે રાશનની ડોર સ્ટેપ ડિલિવરી અંગે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની સરકારે કહ્યું છે કે, પંજાબમાં રાશનની ડોર સ્ટેપ ડિલિવરી શરૂ થશે. સરકાર ઘરે ઘરે રાશન પહોંચાડશે. આ કામ માત્ર અધિકારીઓ જ કરશે. આ યોજના દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે શરૂ કરી હતી પરંતુ કેન્દ્ર સરકારે દિલ્હીમાં આ યોજના બંધ કરી દીધી હતી.
માને આપી પંજાબની જનતાને મોટી ભેટ
આ પહેલા પંજાબ આમ આદમી પાર્ટીએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા માહિતી આપી હતી કે મુખ્યમંત્રી ભગવંત માન આજે પંજાબની જનતાને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. માને એક વીડિયો સંદેશ દ્વારા કહ્યું કે આ ખૂબ જ દુઃખદ છે કે આઝાદીના 75 વર્ષ પછી પણ ગરીબ લોકોને રાશન મેળવવા માટે રાશનની દુકાનો પર લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. જ્યારે દુનિયા એટલી ડીજીટલ બની ગઈ છે કે ફોન કોલ પર જે પણ ઓર્ડર કરે છે તે ઘરે આવી જાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).