Home Politics પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું

પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું

Face Of Nation, 18-09-2021:  પંજાબ કોંગ્રેસમાં હંગામો હવે એટલી હદે વધી ગયો છે કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.

તેમણે પોતાના રાજીનામા સાથે સમગ્ર મંત્રીમંડળનું પણ રાજીનામું રાજ્યપાલને સોંપી દીધા છે. કેપ્ટન અમરિંદર હવે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના છે.

જો સૂત્રોનું માનીએ તો કેપ્ટને આજે સમગ્ર વિવાદનો અંત લાવવા કહ્યું છે. કેપ્ટને એવી ધમકી પણ આપી છે કે જો તેમને સીએમ પદ પરથી હટાવી દેવામાં આવશે તો તેઓ પાર્ટી પણ છોડી દેશે. તેમણે આ સંદેશ પાર્ટી હાઈકમાન્ડ સુધી પહોંચવા માટે કહ્યું છે.

અગાઉ, સિદ્ધુના વ્યૂહાત્મક સલાહકાર મુહમ્મદ મુસ્તફાએ સાડા ચાર વર્ષ પછી કોંગ્રેસના સીએમ પસંદ કરવાની તક અંગે મોટું નિવેદન આપ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)